14 March 2010

વડિલોનો વિસામો- બોટાદ. જિ. ભાવનગર

થોડાક સમય પહેલા એક પુસ્તક વિમોચનના પ્રસંગે બોટાદ જવાનું થયું.
---------- એક 72 વર્ષના ગઢડાના ઉગતા લેખક(ઉંમર આથમતી, લેખક તરીકે નવો જન્મ)નું એક પુસ્તકનુ વિમોચન વડિલોનો વિસામો સ્થળે રાખવામાં આવ્યું હતું. લેખકની ઉંમર 72 વર્ષ, 7 વર્ષ વર્ષ પહેલા લેખવાનું ચાલુ કર્યુ અને 7 વર્ષના ટુંકા ગાળામાં 7 પુસ્તકો(નવલકથા) પ્રગટ થઇ ગઇ... નામ એમનું પૂજાભાઇ પરમાર, વતન ગઢડા (સ્વામિ), જિ. ભાવનગર. 72 વર્ષની ઉંમરે તેમની નવલકથાઓ પ્રગટ થાય, અને આપણે જાણિએ છીએ તે પ્રમાણે લેખકને લખવાના બદલામાં બે-પાંચ હજાર રુપિયાથી વધારે મળતુ હોતુ નથી. તેમ છતાં એમની લેખક તરીકેની કારર્કિદી બનાવવા કદાચ તેમને મળે છે તેના કરતા પણ વધારે રુપિયા તેઓ નવલકથા લખવા અને તેને લોકો સુધી પહોંચાડવા માટે કરી નાખે છે... તે ઓ પૈસા માટે નહી પરંતુ તેમની રીટાયર્ડ લાઇફને માણવા માટે લખે છે. રાઘવજીભાઇ માઘડ ના હસ્તે તેમના પુસ્તકનું વિમોચન હતું રાઘવજીભાઇએ બહુ સરસ વાત કરી કે માણસ સાચી રીતે તેમની લાઇફ રીટાયર્ડ થયા પછી જ માણી શકે છે. રીટાયર્ડ લાઇફ પહેલાની લાઇફમાં માણસ બેટા, બાપ, પતિ, પત્નિ, જેવા અનેક નાટકના પાત્રમાં પડેલો હોય છે. પુત્રએ બાપનો આદેશ માનવાનો, બાપે પુત્રનું કહ્યુ માનવાનું , પતિએ પત્નિનું પત્નિએ પતિનું પરંતુ માણસ પોતાની રીતે જીવતો રીટાયર્ડ થાય ત્યારે જ થઇ શકે છે (જો સારા બેટા હોય તો- બાગબાન ફિલ્મ જરુરથી યાદ આવી જાય છે) આ પૂજાભાઇ રીટાયર્ડ લાઇફને સારી રીતે માણી રહ્યા છે. 72 વર્ષના નવયુવાન લેખકને અભિનંદન...

-------------- બીજુ કે આ પ્રસંગનુ આયોજન, વડિલોનો વિસામો દ્વારા કરવામાં આવ્યું હતું.
વડિલોને વિસામો એ વૃદ્ધો દ્વારા ચાલતુ ગૃપ છે... આ સમગ્ર પ્રસંગનું આયોજન વૃદ્ધો દ્વારા કરવામાં આવ્યું હતું. સ્ટેજ સંચાલનથી માંડીને ગીતોની રમઝટ બધુ જ વૃદ્ધો દ્વારા અરે પ્રસંગનો ખર્ચ પણ આ વૃધ્ધોએ ઉપાડ્યો... સલામ છે તેમને... આ ગૃપ દર રવિવારે આ સ્થળે ભેગુ થાય છે. જે વૃદ્ધોનો જન્મદિવસ હોય તેની ઉજવણી, સારા સારા કલાકારોને બોલાવીને તેમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, એક નવયુવાનનો પણ ન કરી શકે તે કામ આ વૃધ્દો કરી રહ્યા છે... ફરીથી મારી લાખ લાખ સલામ....

No comments:

Post a Comment

તમારી કોમેન્ટ જરુરથી મોકલો--Please send your comment